Palanpur નગરપાલિકા વિસ્તારમાં મિલ્કતવેરા આકારણી પત્રકો જાહેર–વાંધા રજૂ કરવાની અંતિમ તારીખ 30-એપ્રિલ
નગરપાલિકાએ જાણકારી આપી
આથી સંબધકર્તા ઇસમોને સદરહું વાર્ષિક આકારણી સામે કોઇ વાંધો હોય તો આવા ઇસમોએ તા. ૦૧/૦૪/૨૦૨૫ થી તા. ૩૦/૦૪/૨૦૨૫ સુધી કાર્યલયના સમય દરમિયાન વાંધાઓ રજુ કરી શકાશે.તેમજ આકારણી સામે કોઇ વાંધા અરજ આપતા અગાઉ નગરપાલિકામાં ભરવાના થતા તમામ કરવેરા ભાડા ૨૦૨૪-૨૫ અંતિત ભરવાના રહેશે અને આકારણી પત્રકની તપાસ માટે અગાઉ ભરેલ ટેક્ષની પાવતી સાથે લાવવી જરૂરી છે.જો ઉપરોક્ત સમય મર્યાદામાં વાંધાઓ રજુ નહી થાય તો આકારણી સામે કોઇ વાંધો નથી એમ માની સમય મર્યાદા બાદ કોઇ વાંધો કે તકરાર સાંભળવામાં આવશે નહી તેની દરેકે નોંધ લેવી તેમ પાલનપુર નગરપાલિકા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Also Read
- Banaskantha:લાખણીમાં ગામ લોકોની દારૂબંધી, દારુ પીનારા અને વેચનારાનો કરાશે બહિષ્કાર
- Banaskanthaમાં સિંચાઈના પાણી મુદ્દે ખેડૂતો આવતીકાલે ચાંગા પમ્પીંગ સ્ટેશન ખાતે ધરણાં યોજશે
- Banaskantha : બાળલગ્નને સમાજમાં અટકાવવા જરૂરી છે, આવા લગ્ન કરાવવામાં મદદગારી-કરવી નહી