Jamnagar: જોડિયા પંથકમાં મીની વાવાઝોડાનો કહેર, હડીયાણા ગામે પપૈયાનો પાક જમીનદોસ્ત
જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં ગતરોજ ફૂંકાયેલા મીની વાવાઝોડાએ ખેતીપાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. વાતાવરણમાં આવેલા અચાનક પલટા અને જોરદાર પવનને કારણે જોડિયા તાલુકાના હડીયાણા ગામના ખેડૂતોના તૈયાર થયેલા પાકનો વિનાશ થયો છે.
પપૈયાના બગીચાને મોટો ફટકો
હડીયાણા ગામે રહેતા પ્રગતિશીલ ખેડૂતે પોતાના ત્રણ વીઘાના ખેતરમાં પપૈયાનું વાવેતર કર્યું હતું. પપૈયાનો પાક હવે ઉતારવા જેવો તૈયાર થયો હતો, ત્યારે જ ત્રાટકેલા મીની વાવાઝોડાએ પાયમાલી સર્જી છે. અતિ ભારે પવનના કારણે પપૈયાના છોડ પરથી ફળો ખરી પડ્યા હતા અને અનેક છોડ મૂળમાંથી ઉખડીને જમીનદોસ્ત થઈ ગયા હતા. ખેડૂતની વર્ષભરની મહેનત અને હજારો રૂપિયાનો ખર્ચ સેકન્ડોમાં એળે ગયો છે.

