નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે સરકારી તેલ કંપનીઓ દ્વારા વેચાતા પ્રીમિયમ પેટ્રોલમાં એથેનોલ મિશ્રણ કરવામાં આવતું નથી. સાથે જ સરકારે જણાવ્યું છે કે હાલ E0 (0% એથેનોલ) અને E10 (10% એથેનોલ) પેટ્રોલને ફરી શરૂ કરવાની કોઈ યોજના નથી.

સરકારના જણાવ્યા મુજબ, દેશમાં એથેનોલ મિશ્રણ કાર્યક્રમ હાલની નીતિ મુજબ ચાલુ છે અને 20%થી વધુ એથેનોલ મિશ્રણવાળું પેટ્રોલ મંજૂર નથી.

જો કોઈ ગ્રાહકને એથેનોલ વગરનું પેટ્રોલ જોઈએ, તો તે સરકારી તેલ કંપનીઓના પસંદગીના પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ પ્રીમિયમ ગ્રેડ પેટ્રોલ ખરીદી શકે છે. તેની કિંમત સામાન્ય પેટ્રોલ કરતાં વધુ હોય છે અને શહેર પ્રમાણે બદલાઈ શકે છે.

સરકારે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે હાલ E0 અને E10 પેટ્રોલની વાપસી અંગે કોઈ પ્રસ્તાવ વિચારાધીન નથી.

Share :

સંબંધિત સમાચાર