- 06 Aug, 2026
- 38
યુપીની 40 સરકારી શાળાઓમાં પૂરનું પાણી ઘૂસ્યું, સરયૂ નદીમાં 27 મકાનો સમાઈ ગયા
ઉત્તર પ્રદેશમાં સતત વરસાદને કારણે પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યની 40 સરકારી શાળાઓમાં પૂરનું પાણી ઘૂસી જતાં અભ્યાસ પર અસર પડી છે. સરયૂ નદીના કિનારાકાટને કારણે છેલ્લા સાત દિવસમાં 27 મકાનો નદીમાં સમાઈ ગયા છે. પ્રશાસન રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. જિલ્લા કલેક્ટર નાવ દ્વારા અસરગ્રસ્ત ગામોમાં પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી અને લોકોને જરૂરી સહાય આપવાનો વિશ્વાસ આપ્યો.











