થલપતિ વિજયની બહુપ્રતીક્ષિત ફિલ્મ 'જના નાયગન' કર્ણાટકમાં વિવાદમાં સપડાઈ છે. કાવેરી જળ વિવાદની પૃષ્ઠભૂમિમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ફિલ્મનું પ્રદર્શન રોકવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે, જ્યારે કેટલાક સ્થળોએ ફિલ્મના પોસ્ટરો પણ હટાવવામાં આવ્યા છે.

અહેવાલો મુજબ, કાવેરી નદીના પાણીના વહેંચણી મુદ્દે કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં ફરી વધેલા તણાવ વચ્ચે કેટલાક સંગઠનોએ ફિલ્મનો વિરોધ કર્યો, જેના કારણે ઘણા સિનેમાઘરોમાં સ્ક્રીનિંગ પ્રભાવિત થઈ છે.

સ્થાનિક પ્રશાસન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી પગલાં લઈ રહ્યું છે. બીજી તરફ, ચાહકો ફિલ્મના પ્રદર્શન અંગેના આગામી નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.

Share :

સંબંધિત સમાચાર