કોકરોચ જનતા પાર્ટીની તાજેતરની સફળતા બાદ હવે ઈ20 જનતા પાર્ટીએ અભિયાન શરૂ કર્યું છે. સંગઠને કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે ઈ20 એથાનોલ મિશ્રિત પેટ્રોલની સાથે ગ્રાહકોને 100 ટકા શુદ્ધ પેટ્રોલ ખરીદવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે. સંગઠનનું કહેવું છે કે ગ્રાહકોને પોતાની પસંદગીનું ઇંધણ પસંદ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ.

સંગઠને પારદર્શક ફ્યૂલ લેબલિંગ સ્વતંત્ર અભ્યાસ અને ઇંધણના પ્રભાવ અંગેનો ડેટા જાહેર કરવાની પણ માંગ કરી છે. સાથે જ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના રાજીનામાની માંગ પણ કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે ઈ20 નીતિથી કાચા તેલની આયાતમાં ઘટાડો થશે અને ખેડૂતોને લાભ મળશે.

Share :

સંબંધિત સમાચાર